જામનગરમાં કેન્સર દર્દીઓ ને ચેક વિતરણ કરાયુ

જામનગર,

જામનગરમાં તારીખ 08-02-2020 ના ‘જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ‘ દ્વારા દર માસે આર્થિક સહાય કરતા હોય તેના ભાગરૂપે 7 દર્દીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. USA ના ચંદાબેન વારીયા જામનગરની JCRI ના મુલાકાતે આવતા 7 દર્દીઓને ડો.ચંદાબેન હસ્તકે ડૉ.કલ્પનાબેન ખંડેરિયાની હોસ્પિટલ ખાતે આપવામાં આવ્યું હતું.

USA ના ડો.ચંદાબેન વારીયાએ JCRI નાં પ્રમુખ ડૉ.કલ્પનાબેન ખંડેરિયા અને તેમની ટીમના કાઉન્સિલર તથા જોઇન્ સેક્રેટરી વિઠ્ઠલભાઈ ધોળકિયાની કામગીરીની ખુબ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ગીતાબેન સાવલા અને મેમ્બર કેતનભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment